ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

સમાધિ મરણને સુલભ કરનાર શ્રી પોષ દશમી તપ આરાધના વિધિ


Image may contain: 14 people, indoor

આ તપ દ્વારા પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકની આરાધના થાય છે.
આ તપમાં માગશર વદ 9 ના સાકરના પાણીનું એકાસણું(ઠામ ચૌવિહાર)
માગશર વદ 10 (જન્મ કલ્યાણક દિન)નાં ખીરનું એકાસણું કરવાનું હોય છે.
માગશર વદ 11 (દિક્ષા કલ્યાણક દિન)નાં ભર્યા ભાણાનું કરવાનું હોય છે.
દશ વર્ષ અને દશ મહિના સુધી દર મહિનાની વદ દશમે એકાસણું કરવાથી આ તપ પૂરો થાય છે.
સાથિયા 12, ખમાસમણ 12, પ્રદક્ષિણા 12, 12 લોગ્ગસ્સનો કાઉસગ્ગ, નવકારવાળી 20, તેમજ ઉભયટંક પ્રતિક્રમણ-પડિલેહણ, ત્રિકાળ દેવવંદન, બ્રહ્મચર્યનું પાલન વગેરે કરવાનું હોય છે.
        સાડા બાર હજારનો જાપ કરવો હોય તેમણે પહેલા દિવસે 40 નવકારવાળી બીજા દિવસે 45 નવકારવાળી ત્રીજા દિવસે 40 નવકારવાળી ગણવાની.
નવકારવાળીનું પદ:-
ૐ ર્હ્રીં શ્રી પાર્શ્વનાથ અર્હંતે નમ:
કાઉસગ્ગનું પદ
       ખમાસમણ આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બારગુણયુક્ત ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કાઉસગ્ગ કરૂં ? ઇચ્છં બારગુણયુક્ત ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગં ’ વંદણવત્તિયાએ.....     ‘અન્નત્થ’ બોલી બાર લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી કરવો, પારી પ્રગટ લોગસ્સ બોલવો.
શ્રી શંખેશ્વર ભગવાનની બાર પ્રદક્ષિણા અને ખમાસમણાના દુહા
સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર,
પાર્શ્વ પ્રભુ પ્રસન્ન સદા, શંખેશ્વર સુખકાર.
ૐ ર્હ્રીં ર્શ્રીં અશોકવૃક્ષ પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (1)
સકલ મનોરથ પુરવા, મંગલ કેલિનિવાસ,
વામાનંદન વંદિએ, શ્રી શંખેશ્વર પાસ.
ૐ ર્હ્રીં ર્શ્રીં સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (2)
પ્રણમું પ્રેમે પાસ જિન, શ્રી શંખેશ્વર દેવ,
સુર નરવર કિન્નર સદા, જેહની લારે સેવ.
ૐ ર્હ્રીં ર્શ્રીં દિવ્યધ્વની પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (3)
સકલ સુહંકર પાસજી, શંખેશ્વર શિરદાર,
શંખેશ્વર કેશવ જરા, હરત કરત ઉપકાર.
શ્રી શંખેશ્વર સાહિબો, સુરતરૂ સમ અવદાત;
પુરિષાદાની પાસજી, ષડ્ દર્શન વિખ્યાત, 
ૐ ર્હ્રીં ર્શ્રીં ચામરયુગલ પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : (4)
સકલ સિદ્ધિદાયક સદા, શંખેશ્વર પ્રભુ પાસ,
પ્રણમું પદકજ પ્રેમથી, આણી મન ઉલ્લાસ.
સકલ કુશલ કમલાવલી, ભાસક ભાણ સમાન,
શ્રી શંખેશ્વર પાસના, ચરણ નમું ધરી ધ્યાન.
ૐ ર્હ્રીં ર્શ્રીં સિંહાસન પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(5)
શ્રી શંખેશ્વર પાસજી, હરિ જરા હરનાર,
તસ પ્રણમું પ્રેમે કરી, શિવરમણી ઉરહાર.
શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમું એહના પાય,
અશ્વસેન રાજા કુળે, જનમ્યા શ્રી જિનરાય.
ૐ ર્હ્રીં ર્શ્રીં ભામંડલ પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(6)
દુરિત ટળે વંછિત ફળે, જો નામ સમરંત,
શ્રી શંખેશ્વર પાસ જિન, તે પ્રણમું એકાંત.
શ્રી શંખેશ્વરધણી, પ્રણમી પાસ જિણંદ,
નામ જપંતા જેહનું આપે પરમાનંદ.
ૐ ર્હ્રીં ર્શ્રીં દેવદુંદુભી પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(7)
શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણમોપદ અરવિંદ,
અશ્વસેન નૃપ કુલતિલો, વામાદેવી નંદ.
ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર નર, સેવા સારે સાર,
પાસ શંખેશ્વર પ્રણમતાં, સફલ હુએ અવતાર.
ૐ ર્હ્રીં ર્શ્રીં છત્રત્રય પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(8)
શ્રી શંખેશ્વર સુખકરું, નમતાં નવે નિધાન,
વિઘન વિદારણ વીરવાર, વસુધા વાધ્યો વાન.
શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણત પુરંદર દેવ,
અલિય વિઘન દૂરે હરે-કરે જાસ સુર સેવ.
ૐ ર્હ્રીં ર્શ્રીં જ્ઞાનાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(9)
શ્રી શંખેશ્વર પાસજી, મોટો મહિમા જાસ,
ચિંતામણી ચિંતા હરી, આપે લીલ-વિલાસ.
ૐ ર્હ્રીં ર્શ્રીં વચનાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(10)
સકલ સમીહિત સુરલતા, સિંચન નવજલધાર,
શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમું પ્રાણ આધાર.
ૐ ર્હ્રીં ર્શ્રીં પૂજાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(11)
સકલ મનોરથ પૂરવે, શ્રી શંખેશ્વર પાસ,
પરચા પૂરણ પ્રણમીએ, લહીએ લીલ-વિલાસ.
અશ્વસેન કુલધ્વજ સમો, વામા કેરો નંદ,
શ્રી શંખેશ્વર પ્રણમતાં, હોવે નિત આનંદ.
ૐ ર્હ્રીં ર્શ્રીં અપાયાપગમાતિશય પ્રાતિહાર્ય યુક્તાય,
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :(12)
Image may contain: 1 person

પોષ દશમી તપ
પોષ દશમી તપ ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણક સાથે આવતું હોઇ તેની આરાધના મારવાડી પોષ વદ ૯, ૧૦, ૧૧ (પોષ દશમીની અઠ્ઠમ તપની) અને ગુજરાતી માશગર વદ ૯, ૧૦, ૧૧ને દિવસે આ તપની શરૂઆત થાય છે. આ તપ ત્રણ પ્રકારે કરી શકાય છે.
-દશ વર્ષ ને દશ માસ સુધી માગશર વદ ૯, ૧૦ને ૧૧ એ પ્રમાણે ત્રણ દિવસના આરાધનથી. -જીવનપર્યન્ત પોષ દશમી- માગશર વદ ૧૦ના આરાધનથી. -દશ વર્ષ પર્યન્ત પોષ દશમી- માગશર વદ ૧૦ના આરાધનથી.
શ્રેણિક રાજાએ રાજગૃહીના ઉદ્યાનમાં મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે ભગવંત! પોષમાસમાં કયો દિવસ ઉત્તમ ગણાય? ભગવંત મહાવીરે શ્રેણિક રાજાને જણાવ્યું કે, પોષદશમ એ મારા પુરોગામી ત્રેવીસમા તીથઁકર પાર્શ્વનાથ ભગવંતનો જન્મદિન છે, તે કારણે તેનું અતિ માહાત્મ્ય છે.
આ તપ પોષ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે. તેમાં પ્રથમ નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું ને ઠામ ચોવિહાર કરવો. દશમીને દિવસે એકાસણું કરી ઠામ ચોવિહાર કરવો તથા અગિયારસને દિવસે ત્રિવિહાર એકાસણું કરવું. એકાસણું કરીને ત્રિવિધ્ય આહારનું પચ્ચક્ખાણ કરવું. ત્રણે દિવસ બ્રહ્નચર્ય પાળવું. બંને વખત પ્રતક્રિમણ કરવું.
જિનમંદિરમાં જઇ અષ્ટ પ્રકારી અથવા સત્તરપ્રકારી પૂજા ભણાવવી. સ્નાત્ર મહોત્સવ કરવો. નવ અંગે આડંબરપૂર્વક ભગવાનની પૂજા કરવી. ગુરુ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. આ પ્રમાણે દસ વર્ષ સુધી કરવું. વળી તપને દિવસે (માગશર વદ ૧૦ મે) પૌષધ કરવો. આ પ્રમાણે જે તપ કરે છે તેની મનોકામના સિદ્ધ થાય છે. આ લોકમાં ધનધાન્યાદિક પામે, પરલોકમાં ઇંદ્રાદિક પદ પામે અને છેવટે મોક્ષ પદ પામે. ‘ઓમ્ હ્રીશ્રી પાર્શ્વનાથાર્હતે નમ:’ એ પદનું ગરણું વીસ નવકારવાળી પ્રમાણે ગણવું.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.