ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Dhanera city Shantinath bhagwan



Dhanera city Shantinath bhagwan
ધર્મતીર્થની સ્થાપના કરનારા
ચોવીસ તીર્થંકર
ભગવંતોને 
હું ભાવથી વંદના કરું છું ...
પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત,
ને દેવ લોકાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન;
જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...
આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી,
પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહિ;
સ્વર્ધેનુ દુગ્ધસમાં રુધિર ને, માંસ જેના તન મહીં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.