ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Shri Shatrunjay Mahatirth Palitana

Image may contain: one or more people and outdoor

No automatic alt text available.

Image may contain: 3 people

Image may contain: indoor

No automatic alt text available.

Image may contain: 1 person

Image may contain: indoor

Image may contain: outdoor

Image may contain: one or more people, outdoor and indoor

No automatic alt text available.

Image may contain: sky and outdoor

Image may contain: cloud

Image may contain: text

No automatic alt text available.

Image may contain: one or more people and outdoor



No automatic alt text available.

Image may contain: plant

Image may contain: 1 person

Image may contain: 1 person


Image may contain: text

Image may contain: people sitting and indoor
No automatic alt text available.

Image may contain: 3 people, text

Image may contain: 1 person, indoor

Image may contain: 1 person

Image may contain: sky and outdoor

No automatic alt text available.



Ashotari Abhishek @ Palitana
Place:- Babu Nu Derasar
જય ગિરિરાજ
#jainism_updates #Jainism #jainism
#palitanadiaries #shatrunjay #shatrunjayahill #mountains #jain #jainism__  #gujarat #ig_gujarat #carving #structure #architecture #temple #traveljain #wanderlust #wanderer #travel #giriraj #india #indiaheritage #travelphotography #jainismlover #saarthakgroup #igers #click_india_click #details

Related image
Image result for Shatrunjay Mahatirth Palitana dada photos

Image result for Shatrunjay Mahatirth Palitana dada photos

Image may contain: 1 person, indoor
યાત્રાનો આરંભ
લોકો જય આદિનાથ જય શત્રુંજય કહીને પગથીયે પગથીયે પોતાનો પગ મૂકતા લાકડીના ટેકે યાત્રાનો આરંભ કરે છે. તળેટીથી આરંભાતો ઉપર સુધીનો માર્ગ આશરે 3.6 કિ.મી.નો લાંબો તથા ૩૫૦૧ જેટલાં પગથીયાવાળો છે. વચ્ચે વચ્ચે થોડુંક સપાટ ચાલવાનું પણ આવે છે.જાતજાતની દેરીઓમાં પ્રાચીનકાળના મહાપુરુષોની સ્મુતિરૂપ મૂર્તિઓ તથા પગલાંની સ્થાપના છે. પોરો ખાવા કે થાક ઉતારવા, વાતાવરણને મન ભરીને નિહાળવા કે પછી તાજી હવાને શ્વાસમાં ભરવા માટે થોડા થોડા અંતરે વિસામાંઓ બન્યા છે. ઠંડી હવાની લહેરખી આપતા જળથી ભરેલા કુંડો પણ રૂડા દીસે છે. આમને આમ ભક્તિના ભાવમાં રાચતા –માચતા અને દુન્યવી સુખ-દુખના દ્વન્દ્વોથી દૂર થયેલા ભક્તો ઉપરને ઉપર આગળ વધતા જાય છે.
અંદાજે 2000 ફૂટ ઊંચાઈએ આવેલા શત્રુંજય પર્વત ઉપર 100 જેટલાં સુંદર સંગેમરમરનાં જૈન દેરાસરો છે. દેરાસરોનો આવડો મોટો સમુહ વિશ્વમાં બીજે ક્યાંય નથી. પ્રાચીન સંસ્કૃતિના આ અદભૂત અને અદ્વિતીય સ્થાપત્ય મંદિર નગર વિશ્વમાં બેનમુન છે. સૌંદર્ય, કલા અને પવિત્રતાની ત્રિવેણી સંગમ સમો શત્રુંજય પર્વત અને તેના જૈન મંદિરોનો અદભૂત સમુહ માનવજાતને માટે ઇતિહાસની અદભૂત ભેટ છે. ધાર્મિક અને પ્રાચીન સ્થાપત્ય કલાવારસાની દૃષ્ટિએ આ તીર્થનું દેશ-વિદેશમાં અનોખુ સ્થાન છે. માત્ર ગુજરાત રાજસ્થાનના જ નહી પરંતુ દેશભરના લાખો ભાવિક ભક્તો, જૈનો તેમજ જૈનતર લોકો તથા વિદેશમાં વસતા હજારો જૈનો અને અન્ય દેશી વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા ભક્તિ માટે અહી દોડ્યા દોડ્યા આવે છે અને લાભ લે છે આ તીર્થની ખ્યાતિ પ્રાયઃ શાશ્વતતીર્થ તરીકે ગણાય છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પૂર્વ 99 વાર ગિરિરાજ ઉપર પધાર્યા હતા. તેમના ચરણોથી પવિત્ર બનેલ આ તીર્થ ભગવાન ઋષભદેવતીર્થ તરીકે પ્રસિદ્ધી પામેલું છે. ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામી આ ગિરિરાજ ઉપર નિર્વાણ પામ્યા હતા. આ તીર્થ ઉપર અસંખ્ય આત્માઓ આત્મસાધના કરી નિર્વાણ પામેલા છે. તેથી આ તીર્થ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધાચલ તરીકે પણ ખ્યાતિ પામેલું છે. આ ક્ષેત્રનો પ્રભાવ અદ્ભૂત છે તેની સ્પર્શનાથી કર્મમળ નાશ પામે છે. દર્શનથી સમ્યક્ દર્શન નિર્મળ થાય છે અને યાત્રાથી જીવન કૃતાર્થ બની જાય છે.
માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લાખો ભાવિક ભક્તો, જૈનો તથા જૈનેતર લોકો તથા વિદેશી યાત્રિકો તથા પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા ભક્તિનો લાભ લે છે. શ્રી જયતળેટીથી આશરે 3.6 કિ.મી.ના અંતરે ૩૫૦૧જેટલાં પગથિયાં ચઢીને ગિરિરાજ ઉપર પહોંચી શકાયછે.
વિ.સં.1244 તેજપાળ મંત્રી દ્વારા નિર્મિત સંચાર પાંજા( ઘડ્યા વગરના પત્થરોદ્વારા નિર્મિત પગથિયારૂપ પર્વતીય માર્ગ) બનાવીને આ તીર્થના આરોહણ માટે સગવડતા કરાઇ હતી.આના જુના અવશેષો આજે પણ હિંગળાજના હડાની પાછળના ભાગમાં જોવા મળે છે. ઇસ્વીસન્ 1952-1956 દરમ્યાન આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નવનિર્મિત પત્થરોનો ઉપયોગ કરીને 3216 જેટલા પગથીયા બનાવવા પૂર્વક સુંદર- સરળ રસ્તાનુ નિર્માણ થયું. અને ત્યારબાદ વખતો વખત જાળવણી કરીને વ્યવસ્થિત રાખાવામાં આવે છે.
તીર્થયાત્રા દરમ્યાન/ઉપર ચડતી વખતે ખાવા-પીવાની કોઇપણ ચીજ વસ્તુ સાથે લઇ જવાની સખ્ત મનાઇ છે.
આમતો સમગ્ર યાત્રા ઉઘાડા પગે કરવાની હોય છે. પણ આવશ્યકતા પડતા કપડાના બૂટ- ચંપલ કે મોજડી વગેરે મળી રહેતા હોય છે.
થાકેલા યાત્રિકોના વિસામા માટે થોડે થોડે અંતરે વિશ્રમ સ્થાનો, ઓટલાઓ, બાંકડાઓ,બેસવાની જગ્યાઓ, પાણી પીવામાટેની પરબો નિર્મિત થયેલી છે.
આ તીર્થ સાથે સેકંડો વરસોથી અનેક કથાઓ, ઉપકથાઓ, દંતકથાઓ જોડાયેલી છે.
આ તીર્થ અસંખ્ય લોકોની અપાર શ્રઘ્ઘા અને આસ્થાનું જીવંત પ્રતીક છે.
નાના નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉમરના વયોવૃઘ્ઘ ભાઇ બહેનો પણ આદીશ્વર દાદા પ્રત્યેની અગાધ શ્રદ્ધાના બળે કયારેક તો બીમારી... અસ્વસ્થતા કે અશક્તિને ગણકર્યા વગર હોંશે હોંશે યાત્રા કરે છે!
મોટાભાગના લોકો યાત્રા દરમ્યાન ખાવા પીવાનું તો દૂર મોઢામાં કશું નાંખતા પણ નથી!
સગવડતાઓ
તીર્થાધિરાજ ઉપર પૂજા કરવા માટે સ્નાન વગેરે માટે સ્નાનગૃહોની વ્યવસ્થા છે. પરમાત્માને ફૂલો- ફૂલોના હાર અર્પણકરવાની ભાવનાવાળાઓ માટે રામપોળની અંદરના ઓટલા ઉપર ફૂલવાળા ભાઇઓ બેસે છે જે યાત્રિકોને ફૂલો-હાર વગેરે ઉપલબ્ધ કરાવે છે.
પૂજા કરનારા ભાઇબહેનો માટે પૂજાના અલાયદા વસ્ત્રોની વ્યવસ્થા પણ ઉપલબ્ઘ છે.
પરમાત્માની પ્રતિમાની જલ( પક્ષાલ) ચંદન વગેરે પૂજાઓના ચડાવા નિયમિત બોલાતા હોય છે. આ ઉપરાંત નિયત સમય દરમ્યાન પૂજા કરવા ઇચ્છતા ભાઇબહેનોને પૂજા કરીને લહાવો લેતા હોય છે.
દાન – સહયોગ આપવાની ભાવનાવાળા યાત્રિકો માટે પર્વત ઉપર કાર્યાલયની વ્યવસ્થા છે. જયાં રકમભરીને પાકી રસીદ મેળવી શકાય છે.
તીર્થ યાત્રા અંગે માર્ગદર્શન
તીર્થ યાત્રા કરનારા ભાઇબહેનો માટે જે અશક્ત હોય, શારીરિક કારણોસર પગે ચાલીને, ચડીને યાત્રા ન કરી શક્તા હોય એવા ભાઇબહેનો માટે 2-3 જાતની ડોળીઓની વ્યવસ્થા ઉપલબ્ઘ હોય છેં. જય તળેટી પાસે આના માટે એક વિશેષ કાર્યાલય કાર્યરત છે.
સામાન્ય ડોળી, ખુરશીવાળી ડોળી, 4 જણ ઉચકીને ચડે એવી ડોળી વગેરે ડોળીઓ મળી રહે છે.
યાત્રિકોને ધસારો, પર્વના દિવસો વગેરેના લીધે ડોળી માટેના ભાવોમાં ફેરફારો થતા રહે છે.પર્વત ઉપર ચઢતી વખતે ટેકા માટે વાંસની લાકડીઓ પણ મળી રહે છે.
નાના બાળકોને તેડવા માટે તથા થેલા-થેલી ઉચકવા માટે તેડાગર બહેનો મળી રહેછે.
सिद्धाचल ना वासी, विमलाचल ना वासी, जिन जी प्यारा, आदिनाथ ने वंदन अमारा .....

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

1 comment:

  1. जय गिरीराज
    जय सिद्धाचल
    जय विमलाचल
    जय आदिनाथ

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.