ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ-Vasupujaya Swami


ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ

ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગુ છું

રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માગુ છું 

તારું મુખડું મનોહર જોયા કરૂ, રાત દહાડો ભજન તારૂ બોલ્યા છે

રહે અંત સમય તારો સાથ પ્રભુ એવું માગુ છું 

મારી આશ નિરાશા કરશો નહીં., મારા અવગુણ હૈયામાં ધરશો નહી

શ્વાસે શ્વાસે રટુ તારૂ નામ પ્રભુ એવું માગુ છું 

મારા પાપને તાપ સમાવી લેજો તારા ભક્તો ને દાસ બનાવી લેજો,

દેજો આવીને દર્શનદાન પ્રભુ એવું માગુ છું 

ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગુ છું
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.